Monday, April 16, 2012

Gujarati suvichar

આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.

બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.

જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?

મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?

Gujarati suvichar

સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.


મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.

બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.

પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.

Gujarati suvichar

પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે.

એક કડવું સત્ય ……
આ દુનિયા માં લોકોની અલગ કહાની છે
“જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે
અને
જો કોઈ નો વિશ્વાસ રાખો તો એં આપણ ને રડાવે છે”

મનુષ્ય ને બોલવાનું સીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ સીખતા આખી જિંદગી વીતી જાય છે….!

જીવન માં હમેશા એક વાત યાદ રાખવી જે અસત્ય છે એને સત્ય અને સત્ય છે એને સત્ય જેવો ભાશ કરાવે અનુ નામ માયા !