Thursday, February 7, 2013

gujarati suvichar

ચરિત્રની સુંદરતા જ સાચી અને શ્રેષ્ઠ સુંદરતા છે...


 મુશ્કેલીના સમયમાં બીજાઓ દ્વારા અપાતી સાંત્વના ક્યારેક આપણા ઘા પર નમક (મીઠું) લગાડવાનું કામ કરે છે...


ગઈ કાલની ખરાબ કે નબળી સ્મ્રુતીને ઉંચકીને જીવશો તો આજનો દીવસ બોજા રૂપ લાગશે...


જીંદગીમા કેટલું જીવયા તે મહતવ નું નથી કેવું જીવયા તે મહતવનું છે...

Monday, April 16, 2012

Gujarati suvichar

આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.

બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.

જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?

મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?

Gujarati suvichar

સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.


મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.

બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.

પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.

Gujarati suvichar

પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે.

એક કડવું સત્ય ……
આ દુનિયા માં લોકોની અલગ કહાની છે
“જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે
અને
જો કોઈ નો વિશ્વાસ રાખો તો એં આપણ ને રડાવે છે”

મનુષ્ય ને બોલવાનું સીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ સીખતા આખી જિંદગી વીતી જાય છે….!

જીવન માં હમેશા એક વાત યાદ રાખવી જે અસત્ય છે એને સત્ય અને સત્ય છે એને સત્ય જેવો ભાશ કરાવે અનુ નામ માયા !

Saturday, April 2, 2011

Gujarati Suvichar

હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ

આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
–ચાણક્ય

સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન

જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
–ગુરુ નાનક

સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ

પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ

વ્યસ્તતા સારી બાબત છે, અતિ વ્યસ્તતા અસ્તવ્યસ્તતા સર્જે તો નુકશાન કરે છે.

બુદ્ધિશાળી – તેજસ્વી માણસ કરતા સમજદારની આબરુ વધારે ગણાય.


કોઈ શું કહેશે તેને બદલે આત્મા શું કહેશે તેનો વિચાર કરો.



તમે સાચા હોવ તો તેને સાબિત કરવાની જરૂરી નથી. એક દિવસ જગત તમને આપોઆપ સ્વીકારશે.








La

Krushnayan + Draupadi - Combo of 2 Book - By Kajal Oza Vaidya (Gujarati Novel ) Buy Now